ગઝલ
મન આ જ્યારે પણ ઘવાયું છે.
કંઈક ત્યારે અહીં લખાયું છે.
નભ રડ્યું છે રાતમાં એથી,
તૃણ પર ઝાકળ છવાયું છે.
બોલતાં સંબંધ બગડે છે,
મૌન એથી બસ સવાયું છે.
દેડકાનો જીવ ગયો છે ને,
કાગડાથી બસ હસાયું છે.
બહુ તપાવ્યા બાદ લોઢાને ,
કોઈ આકારે ઘડાયું છે.
શીખવી ના જે શક્યું ભણતર,
એક ઠોકરથી ભણાયું છે.
સત અમરફળનું જણાયું,
ભરથરી ત્યારે થવાયું છે.
~"આબાદ"પાલનપુરી.